રાષ્ટ્રીય અંધજન મંડળ કપડવંજ તથા શ્રી વી. એસ. ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ કપડવંજના સંયુક્ત ઉપક્રમે શારદા સંકુલ ખાતે દિવ્યાંગ બાળકો માટેનો નવરાત્રી ગરબા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં 200થી વધુ દિવ્યાંગ બાળકો તથા વાલીઓએ ભાગ લીધો હતો.
અને કાર્યક્રમને ખૂબ જ ઉત્સાહપૂર્વક સફળ બનાવવામાં આવ્યો. દિવ્યાંગ બાળકોએ ઉત્સાહભેર નવરાત્રી નિમિત્તે ગરબા રમવાની મોજ માંણી હતી.આ કાર્યક્રમમાં દાતાઓ તરફથી નાસ્તો આપવામાં આવ્યો હતો. જેમાં હરીશભાઈ જોશી પત્રકાર , ગાયત્રી ખમણ હાઉસ , ચામુંડા નાસ્તા હાઉસ , અરવિંદભાઈ દાબેલીવાળા તથા બાલાર્ક ચવાણા હાઉસ દ્વારા દિવ્યાંગ બાળકોને નાસ્તા સાથે નવરાત્રીની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.