सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

વિશ્વ આદિવાસી દિવસે કમ્બોઇધામ ખાતે શ્રી ગોવિંદ ગુરૂને ભાવાંજલી આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

મુખ્યમંત્રીશ્રીએ મંદિર પરિસરમાં શ્રી ગોવિંદગુરૂની મૂર્તિ પાસે નવધ્વજાનું આરોહણ કર્યું

પંકજ પંડિત
  • Aug 10 2022 10:52AM

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આજે વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત આદિવાસીઓના મસીહા અને સ્વાતંત્ર્ય સંગ્રામના વીર નાયક ગોવિંદગુરૂની સમાધિ સ્થળ કંબોઈધામ ખાતે ભાવપૂર્વક દર્શન-અર્ચન કર્યા હતા.


ઝાલોદ ખાતે વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીમાં સહભાગી બનવા પહોંચેલા મુખ્યમંત્રીએ મંદિર પરિસરમાં ગોવિંદગુરૂની  મૂર્તિ પાસે નવધ્વજાનું આરોહણ કર્યું હતું.


ઝાલોદ તાલુકાના કમ્બોઈ સ્થિત આ સમાધિ સ્થળ આદિવાસીઓ બાંધવો માટે શ્રદ્ધા અને આસ્થાનું ધામ છે. મુખ્યમંત્રીશ્રીનું અહીં આદિવાસી પરંપરા પ્રમાણે લોકવાદ્યો સાથે સ્વાગત કરવા સાથે આદિવાસી કન્યાઓએ કળશ-શ્રીફળ સાથે મુખ્યમંત્રીનું  સામૈંયુ કર્યું હતું.

આ વેળા અદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ, સાંસદ જસવંતસિંહ ભોભોર, કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા સહિતના અધિકારીઓ, આદિવાસી ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार