વડાપ્રધાન મોદી આગામી ખેડા-આણંદ લોકસભા બેઠકની સંયુક્ત જનસભા સંબોધશે
આગામી તા. ૨ મે ના રોજ સવારે ૧૧ કલાકે વલ્લભ વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાનમાં આણંદ-ખેડા લોકસભા બેઠકની સંયુક્ત જનસભા કરશે
લોકસભા ચુંટણીને લઈ ગુજરાતમાં રાજકીય માહોલ સર્જાયો છે, ત્યારે ભાજપે ઝંઝાવતી પ્રચાર શરૂ કર્યો છે, જેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા. ૨ મે ગુરૂવારના રોજ સવારે ૧૧ કલાકે વલ્લભ વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાનમાં આણંદ-ખેડા લોકસભા બેઠકની સંયુક્ત જનસભા કરશે.
આગામી તા. ૭-૫-૨૦૨૪ ના રોજ લોકસભા સામાન્ય ચુંટણી યોજાનાર છે જે માટે ઉમેદવારોને ફોર્મ ભરવાની પ્રક્રિયા સંપૂર્ણ થતાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે, ત્યારે તમામ રાજકીય પક્ષે પ્રચાર-પ્રસાર શરૂ કર્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી ર મે ના રોજ ચૂંટણી જનસભા યોજશે, જેથી ભાજપના હોદ્દેદારો, કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प