મહેસાણા જિલ્લાના લાંઘણજ-સાલડી ગામના પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે અતિરુદ્ર મહાયજ્ઞ તથા પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ થયો છે. પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે 1
ફેબ્રુઆરી 2023થી 5 ફેબ્રુઆરી 2023 સુધી મહોત્સવનું આયોજન
કરાયું છે. મહોત્સવના પ્રથમ દિવસે વૈદિક મંત્રોચ્ચાર સાથે શત
કુંડીય હોમાત્મક અતિરુદ્ર મહાયજ્ઞનો શુભારંભ થયો છે. પાંચ દિવસ સુધી
ચાલનારા મહાયજ્ઞમાં 24 લાખ 56 હજાર કરતાં વધારે આહુતિ આપવામાં આવશે.
આ ઉપરાંત મહાયજ્ઞ મહોત્સવના પ્રથમ દિવસે સાલડી ગામમાંથી સવારે જળયાત્રા અને દાદાની પાલખી યાત્રા નીકળી હતી.આ યાત્રામાં હજારો શિવભક્તો જોડાયા હતા. ડીજેના તાલે ભક્તિ ગીતોના નાદ સાથે નાચતા-કૂદતા શિવભક્તો મંદિર પરિસરમાં પહોંચ્યા હતા.
આ મહોત્સવમાં ભાગ લેવા માટે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાંથી 500 કરતાં વધારે શ્રદ્ધાળુઓ પધાર્યા છે.