सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

સ્વ-સહાય જૂથો સરકારની યોજનાઓનો લાભ લઈ વધુ સશક્ત બનાવવાની સાથોસાથ તેમના પરિવાર સાથે દેશના વિકાસમાં સહભાગી બનવા વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાનો અનુરોધ

નર્મદા જિલ્લાના ૧૫૮ સ્વ-સહાય જૂથોને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત ૧.૫૮ કરોડના કેશ ક્રેડિટ લાભોનું કરાયું વિતરણ

ગૌતમભાઈ વ્યાસ
  • Jun 28 2022 8:09PM
રાજપીપલા ખાતે ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાની અધ્યક્ષતામાં યોજાયો કેશ ક્રેડિટ વિતરણનો કાર્યક્રમ  

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ઉપલક્ષમાં દિનદયાળ અંત્યોદય યોજના અને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના (એન.આર.એલ.એમ.) અંતર્ગત સ્વસહાય જૂથો માટે બેંક લિંકેજ અન્વયે કેશ ક્રેડિટ વિતરણનો કાર્યક્રમ તા.૨૮ મી જૂન,૨૦૨૨ ના રોજ રાજપીપલાના સરદાર ટાઉનહોલ ખાતે ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ કાર્યક્રમને દંડક કટારાના હસ્તે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રીમતી મમતાબેન તડવી, નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખ હરેશભાઈ અને જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક એલ.એમ.ડિંડોર સહિતનાઓની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય થકી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આજે ૨૦ સખીમંડળોને સ્થળ પર ૨૮ લાખના ચેકોની પ્રતિકૃતિનું વિતરણ કરવામાં આવ્યું હતું.    

આ અવસરે કાર્યક્રમના અધ્યક્ષપદેથી વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાએ પ્રસંગોચિત ઉદબોધનમાં સ્ત્રી સશક્તિકરણ માટે શરૂ કરાયેલી મિશન મંગલમ યોજનાનો હેતુ દર્શાવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમના કાર્યકાળમાં ગરીબો-વંચિતો અને ખાસ કરીને મહિલાઓના વિકાસ માટે વર્ષ ૨૦૧૧ થી મિશન મંગલમ યોજના શરૂ કરવામાં આવી હતી. જેનો મુખ્ય ઉદ્દેશ ગરીબી રેખા નીચે જીવતા પરિવારોનું જીવનધોરણ ઉંચુ લાવવાનો છે. નર્મદા જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં હાલમાં ૪૬૯૫ જેટલાં સ્વ-સહાય જૂથો કાર્યરત છે. તેમના વિકાસ માટે સરકાર દ્વારા રિવોલ્વિંગ ફંડની વ્યવસ્થા કરવામાં આવી છે. તેના થકી અને મહિલા મંડળની બહેનોએ એકત્ર કરેલી બચતમાંથી આંતરિક ધિરાણ કરી સખી મંડળની બહેનો આજે પગભર થઈ રહી છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, આજે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત ૧૫૮ જેટલા જૂથોને કુલ રૂપિયા ૧.૫૮ કરોડ જેટલી માતબર રકમની વ્યાજ વગરની લોન મંજૂર કરી તેમને ચૂકવવામાં આવી છે. ત્યારે આ સહાય મેળવ્યા પછી સ્વ-સહાય જૂથો વધુ સશક્ત બને, મહિલાઓ તેમના બાળકોના શિક્ષણમાં સતત આગળ વધે અને સરકારની યોજનાઓ વિશે અન્ય મહિલાઓને પણ સમજ આપી દેશના વિકાસમાં સહભાગી બને તે દિશામાં આગળ વધવા આશાવાદ વ્યક્ત કર્યો હતો.
 
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા મહિલાઓના ઉત્થાન માટે જે સખી મંડળની યોજના ચલાવવામાં આવે છે તે મારી પસંદગીની યોજના છે. આ મંડળમાં આવતી બહેનો બચત કરી પરિવારના વિકાસ સાથે દેશના વિકાસમાં પણ સહભાગી બની રહી છે. આવી યોજનાઓ થકી આપણી દિકરીઓનું ભવિષ્ય પણ ઊજળું બની રહ્યું છે. આગામી સમયમાં પણ સરકારની મહિલાલક્ષી વિવિધ યોજનાઓનો મહિલાઓ લાભ લે અને પ્રગતિ સાથે તે દિશામાં આગળ વધવા સૌને હાકલ કરી હતી.

કેશ ક્રેડિટ કેમ્પમાં ઉપસ્થિત રહેલા સાગબારા તાલુકાના પાંચપીપરી ગામના  નવજાગૃતિ મહિલા વિકાસ મંડળના ઉષાબેન દિનેશભાઈ વસાવાએ તેમના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, અમારા સખી મંડળની રચના નહોતી થઈ તે પહેલાં બહેનોને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. બાળકોના અભ્યાસ, ખેતીવાડી, ખાતર - બિયારણ માટે વ્યાજે પૈસા લેવા પડતા હતા. ત્યારબાદ અમારા સખી મંડળની રચના થઈ. શરૂઆતમાં ૧૦ રૂપિયાથી બહેનોએ બચત કરવાની શરૂઆત કરી. તેમાં એકત્ર થયેલી રકમમાંથી અમે આંતરિક ધિરાણ કરી બહેનોની આર્થિક જરૂરિયાત પુરી કરવા લાગ્યા હતા. ત્યારબાદ અમે બેન્ક લોન પણ મેળવતા થયા અને તેના ધિરાણમાંથી આવતી વ્યાજની રકમ પણ જૂથના ખાતામાં જ જમા રહેતા સખી મંડળની બહેનો આર્થિક રીતે પગભર થઈ છે. પ્રસંગોપાત નાણાંકીય જરૂરિયાત સંતોષવા માટે બહેનોને આજે બીજા પાસે હાથ લંબાવવાની જરૂર પડતી નથી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार