જાફરાબાદ ખાતે સમસ્ત તળપદા કોળી સમાજ દ્વારા અગીયારમોં સમુહલગ્ન સમારોહ યોજાયો
આજ રોજ ૨૬મી જાન્યુઆરીના રોજ ૨૬ નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડયાં
આજ રોજ ૨૬મી જાન્યુઆરીના રોજ ૨૬ નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડયાં.જેમા સાધુ સંતો તેમજ આગેવાનોની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટય કરી કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ. જેમાં સાધુ શ્રી દેવેન્દ્રદાસ બાપુ અમર આશ્રમ ડેડાણ બાપૂએ પ્રભૂતામા પગલાં પાડતા નવદંપતી ઓને આશિર્વચન પાઠવ્યા. તેમજ આવા સારા આયોજન બદલ આયોજકો ને શૂભેચ્છા આપી બીરદાવ્યા હતાં. આ સમુહલગ્નમાં દરેક દિકરીઓને વિશાળ કરીયાવર સમસ્ત કોળી સમાજ જાફરાબાદ દ્વારા આપવામાં આવેલ. જેમાં જાફરાબાદના કોળી સમાજના દરેક મંડળોએ ખુબ સારી સેવાઓ આપેલી.
આ સમુહલગ્ન નુ આયોજન અખિલ ભારતીય કોળી સમાજ અમરેલી ના પ્રમુખ કરણભાઇ બારૈયા તેમજ મનહરભાઈ બારૈયા, કિશોરભાઈ બાંભણિયા પટેલ શ્રી કોળી સમાજ દ્વારા કરવામાં આવેલ. તેમજ આ કાર્યક્રમમાં કોળી સમાજના આગેવાનો તેમજ દરેક સમાજના આગેવાનો, વેપારી ઓ તેમજ જુદાં જુદાં મંડળો તેમજ આ સમુહલગ્ન માં આપેલ કરીયાવરના દાતાશ્રીઓ તેમજ સહયોગી શ્રીઓ ઉપસ્થિત રહેલ હતાં.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प