सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

સપા, આરજેડીની માન્યતા રદ કરવાની વિહિપની માંગણી

વિશ્વ હિન્દુ પરિષદે રામચરિત માનસ પર વાંધાજનક નિવેદન કરવા બદલ સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય જનતા દળની માન્યતા રદ કરવાની માંગણી કરી

સુદર્શન ન્યુઝ ટીમ
  • Feb 3 2023 3:14PM
 વિશ્વ હિન્દુ પરિષદે રામચરિત માનસ પર વાંધાજનક નિવેદન કરવા બદલ સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય જનતા દળની માન્યતા રદ કરવાની માંગણી કરી છે. વિહિપે એમ પણ કહ્યું છે કે આ બંને પક્ષોએ અપમાનજનક નિવેદન કરનાર પોતાના નેતાઓની સામે કાર્યવાહી કરી નથી. આ બંને પક્ષે મુખ્ય શરતોનો ભંગ કર્યો છે. તે હેઠળ જ તેમની રાજકીય પક્ષો તરીકે નોંધણી કરાઇ હતી. વિહિપના કારોબારી અધ્યક્ષ આલોક કુમારે આ મુદ્દા પર ધ્યાન દોરવા માટે મુખ્ય ચૂંટણી કમિશનરને મળવા માટેની ઇચ્છા વ્યક્ત કરી છે. તેમણે આક્ષેપ કરતા કહ્યું છે કે રામચરિત માનસનું અપમાન કરવામાં આવ્યું છે. સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યના નિવેદન અને રામચરિત માનસનાં પાના સળગાવી દેવાના કારણે દેશના લોકોની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી છે. અત્રે નોંધનીય છે કે તેમની ટિપ્પણી બાદ તરત જ સમાજવાદી પાર્ટીએ મૌર્યની મહાસચિવ પદ પર વરણી કરી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार