વિશ્વના પ્રથમ સ્થાપત્યકાર દેવતાઓના શિલ્પી અને સર્જનના દેવ ભગવાન શ્રી વિશ્વકર્મા જયંતી એટલે કે મહાસુદ તેરસે અવતાર ધારણ કર્યો હતો ધર્મશાસ્ત્ર ના કથા અનુસાર દેવતાઓના તથા સમસ્ત માનવ જીવન સમુદાયના શિલ્પકાર તરીકે ભગવાન શ્રી વિશ્વકર્મા નું નામ અગ્રણી છે
હિન્દુ ધર્મમાં વિશ્વકર્મા ભગવાનનો નિર્માણ તેમજ સર્જનના દેવ તરીકે માનવામાં આવે છે વિશ્વકર્મા અંતર્ગત વિશ્વકર્મા ભગવાનને બ્રહ્માજીના પુત્ર ધર્મના સાતમા પુત્ર તરીકે ઓળખવામાં આવે છે ભગવાન વિશ્વકર્માને વાસ્તુશાસ્ત્રના જનક તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારે આજરોજ વિશ્વકર્મા જયંતી હોવાથી ફતેપુરા પંચાલ સમાજ દ્વારા ભગવાન વિશ્વકર્માજીની પ્રતિમાન બગીમાં મૂકીને ફતેપુરા નગરના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી
શોભા યાત્રામાં પંચાલ સમાજના નાના બાળકો, વડીલો-વૃદ્ધો તેમજ મહિલાઓએ મોટી સંખ્યામાં ભાગ લઈ રાસ ગરબા સાથે ફતેપુરા નગરમાં શોભાયાત્રા કાઢી હતી.
શોભાયાત્રાનું સમાપન અંબાજી મંદિર ખાતે ભગવાન વિશ્વકર્માની આરતી ઉતારી તેમજ મહાપ્રસાદનું આયોજન કરીને કરવામાં આવ્યું હતું સર્વે સમાજ દ્વારા મહાપ્રસાદ લઈ વિસર્જન કરવામાં આવ્યું હતું