કલેક્ટર એચ.કે. વઢવાણિયાના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત કેશ ક્રેડીટ કેમ્પ યોજાયો : ૧ કરોડ ૧૮ લાખ જેટલા કોમ્યુનિટી ફંડનું વિતરણ કરાયુ
“આઝાદી કા અમૃત મહોત્સવ'' અંતર્ગત દીનદયાળ અંત્યોદય યોજના - રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વ-સહાય જૂથો માટે બેંક લિંકેજ અન્વયે કેશ ક્રેડીટ કેમ્પનું આયોજન કલેક્ટર એચ.કે. વઢવાણિયાના અધ્યક્ષસ્થાને તથા જીલ્લા વિકાસ અધિકારીશ્રી ડી. ડી. કાપડીયા સહિત મહાનુભાવોની ઉપસ્થિતીમાં ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ, વ્યારા ખાતે કરવામાં આવ્યું હતું.