રસ્તે રજળતા પશુઓને કારણે થતા અકસ્માતો નિવારવા વડીયાની ગૌવર્ધન ગૌશાળાએ કરેલી પહેલની અસરથી દેવળકી ગામની ગૌશાળાએ રસ્તે રજળતા 10 જેટલા ખૂંટ અને ગાયો અને વાછરડાને ગૌશાળા લાવીને ગામને ચોખ્ખું ચણાક રાખવાનો પ્રયાસ શરૂ કર્યો હતો દેવળકીની ગૌશાળાએ ન્યુઝ ની અસરથી આ નવતર અભિયાન આગળ વધાર્યું છે
આ છે અમરેલી જિલ્લાના વડીયા તાલુકાનું દેવળકી ગામ ...
ગામમાં રોજ રોડ રસ્તાઓ પર બળદ આખલા ખૂંટ નો ત્રાસ હતો ને નાના મોટા અકસ્માતો નૉત્રતા આ પશુઓથી સ્થાનિકો પણ ત્રસ્ત હતા ત્યારે ટીવી ન્યૂઝ માં વડીયાની ગૌવર્ધન ગૌશાળાની રસ્તે રજળતા પશુઓ પ્રત્યે ગૌશાળા સંચાલકોએ સંવેદના આગળ ધરીને રસ્તે રજળતા પશુઓથી છુટકારો મેળવવાના અભિગમને આગળ વધારવા દેવળકી ગામની ગોવર્ધન ગૌશાળા આગળ આવી ને દેવળકી ગામમાં રખડતા ભટકતા 10 જેટલા ખૂંટ બળદ, વાછરડા અને ગાયમાતા ને ગૌશાળામાં લાવીને નવું જીવન આપવાના અભિયાન નો આરંભ કર્યો હતો જે ન્યૂઝ વડિયા ગૌશાળા એ કરેલ પહેલ ને આગળ વધારી હતી
દેવળકી ગામમાં 80 જેટલી ગાયો ની પહેલા સેવા ચાકરી કરીને પાલન પોષણ ગૌશાળા કરતી હતી પણ ટીવીના માધ્યમથી દેવળકીના રસ્તે રજળતા પશુઓને ગોવર્ધન ગૌશાળાએ વધુ દોઢેક ડઝન પશુઓનો વધારો કરીને ગૌશાળામાં રાખવામાં આવ્યા છે જેની સેવા ચાકરી કરીને ગામને અકસ્માતો નિવારવાના અભિગમ ને સાર્થક સાબિત કર્યો છે
સમાજમાં સારું કાર્ય કરવાના ઈરાદાઓ ધરાવતા સમૂહ કે સંસ્થા ને રસ્તે રજળતા પશુઓથી અકસ્માતો ઘટે તેવા વડીયાની ગૌવર્ધન ગૌશાળાના ચિલ્લે દેવળકી ની ગૌશાળાએ ચાલીને અન્ય તાલુકા મથકો ને નવો રાહ ચીંધ્યો છે.