આજ રોજ અમદાવાદ નેશનલ હાઇવે શેરપુરા પાટીયા નજીક હોટલ દર્શન ખાતે સામાજીક એકતા જાગૃતિ મિશન ના રાષ્ટ્રીય સંયોજક કેવલસિંહ રોઠોડ ના અધ્યક્ષસ્થાને કારોબારી બેઠક યોજાઇ હતી. જેમાં આવેલ તમામ મહેમાનોને કુમકુમ તિલક કરી ફુલહાર, સાલ,તેમજ બુકે આપી આયોજકો દ્વારા સ્વાગત કરાયુ હતુ. સામાજીક એકતા જાગૃતિ મિશન ના રાષ્ટ્રીય સંયોજક કેવલસિંહ રાઠોડ દ્વારા લોકોને અન્યાય સામે કેવિરીતે લડત લડવી તેની વિસ્તુત માહીતી આપી હતી.આંગણવાડી કાર્યકર્તા બહેનો,આશાવર્કર બહેનોના,મજુર આંદોલન,તેમજ શિક્ષણ ને લગતા અન્યાય સામે લડત લડવાની તૈયારી દર્શાવી હતી.
ત્યારબાદ સમગ્ર લોકો પોતાની જગ્યા ઉપર ઉભા થઇ ને રાષ્ટ્રગીત ગાયુ હતુ અને વંદેમાતરમ ના નારા સાથે કાર્યક્રમ ને સમાપ્ત કર્યો હતો. આ કાર્યક્રમ માં રાષ્ટ્રીય સંયોજક કેવલસિંહ રાઠોડ, ઉ.પા. અધ્યક્ષ વિક્રમભાઇ સોલંકી , રાષ્ટ્રીય મહાસચિવ તરૂણભાઇ આહિરવાત,મુખ્ય માર્ગદર્શન ઉ.ગુ ના ડી.એસ.પરમાર, અરવિદ વાઘેલા, મહાસચિવ બ.કા. મોબિન પટેલ, એહમદભાઇ નોંદોલિયા, તેમજ બનાસકાંઠા ની સમગ્ર ટીમ સાથે અનેક કર્યકર્તાઓ પત્રકારમિત્રો આ કાર્યક્રમ માં પરિવાર સાથે મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા.