બનાસકાંઠા થરાદ વિધાનસભા બેઠક પર ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટાની ટકકરે ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપના ઉમેદવાર શંકર ચૌધરી સામે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિહ રાજપુતે ટક્કર લેતાં ભાજપે જંગી લીડ સાથે સતા હાંસલ કરી
ભાજપના ઉમેદવાર શંકર ચૌધરી આમતો પૂર્વ આરોગ્ય મંત્રી રહી ચૂકેલા છે ત્યારે 2017ની વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સામે પરાજિત થયા હતા ત્યારે 2022ની વિધાનસભા ચૂંટણીમાં થરાદ બેઠક પર ચૂંટણી લડવામાં આવતાં કોંગ્રેસના યુવા ઉમેદવાર યુવા નેતા ગુલાબસિહ રાજપૂતે પણ શંકર ચૌધરી સામે ટક્કર લેતાં ગુલાબસિહ રાજપૂતને 91385 મતો મળ્યાં છે જ્યારે ભાજપના ઉમેદવારને 117891 મતો મળતાં શંકર ચૈધરીનો 26508 મતે વિજય થયો છે
ભાજપના ઉમેદવાર શંકર ચૌધરીની જીત થતાં સમર્થકોમાં ઉત્સાહ વધ્યો હતો જેમાં બપોરના સમયથી મોટી સંખ્યામાં સમર્થકો થરાદ ચાર રસ્તા તેમજ આંજણા પટેલ સમાજ બોર્ડિંગ ખાતે લોકો સતત 5 કલાક સુધી ઉમટી પડ્યા હતા જેમાં સમર્થકો દ્વારા ફટાકડા ફોડવામાં આવતાં ચાર રસ્તા પર દિવાળીના પર્વ જેવો માહોલ હતો અને ત્યારબાદ આંજણા પટેલ બોર્ડિંગ ખાતે આભાર વિધિ કાર્યક્રમ યોજાયો
જેમાં હજારોની સંખ્યામાં લોકોએ મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરી અભિવાદન જીલ્યું અને તમામ લોકોને થરાદ વિધાનસભામાં પડતર માંગણીઓ તેમજ જલ્દીમાં જલ્દી ધારાસભ્યનું કાર્યાલય ધમધમતું થશે અને મતવિસ્તારમાં દરેક લોકોએ જંગી લીડથી જીતવા બદલ અમુક ચોક્કસ વિસ્તારમાં સન્માન કાર્યક્રમ રાખી તમામ લોકોથી પરિચિત થવું છેદરેક લોકોના કામ કરવા છે તેવું શંકરચૌધરીએ જણાવ્યું હતું પરબત ભાઈ પટેલ સહિત તમામ ભાજપના હોદેદારો અને કાર્યકરો અને તમામ મતદારો અને જનતાનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.