થરાદ વિધાનસભા બેઠક પર ચૂંટણીનો જંગ જીતવા ભાજપ કોંગ્રેસ આમને સામને કાંટાની ટકકરે પ્રચાર પ્રસાર શરૂ કરવામાં આવી રહ્યો છે ત્યારે 2019 ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સામે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિહ રાજપુતે વિજય મેળવી થરાદ બેઠક પર કોંગ્રેસનો કબજો જમાવ્યો હતો
ત્યારે 2022ની શરૂ થનારી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ફરી વખત ગુલાબસિહ રાજપૂતને મેદાને ઉતારતાં ભાજપના ઉમેદવાર શંકરભાઇ ચૌધરીની સામે ચૂંટણીનો જંગ જીતવા તાલુકાના મત વિસ્તારમાં પ્રચાર શરૂ કરવામાં આવતાં ભુરિયા ગામે ચૂંટણી પ્રચારની સભા યોજતાં મોટી સંખ્યામાં ગામલોકો એકઠાં થઈ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિહ રાજપૂતને સમર્થન આપવાની ખાત્રી આપી હતી.
બનાસકાંઠા જિલ્લામાં યોજાયેલી 2017ની વિધાનસભા ચૂંટણીમાં નવ બેઠકો માંથી કોંગ્રેસે છ બેઠકો હાંસલ કરી હતી ત્યારે ભાજપને માત્ર ત્રણ બેઠકો મળી હતી જેમાં 2019માં લોકસભાની ચૂંટણી આવતાં થરાદ વિધાનસભા બેઠક ભાજપના વિજેતા ધારાસભ્ય પરબતભાઇ પટેલ બનાસકાંઠા સાંસદ તરીકે જંગી મતોથી ચૂંટાઈ આવતાં થરાદ વિધાનસભા બેઠક ખાલી પડતાં વિધાનસભા ચૂંટણી યોજાતા
ભાજપના ઉમેદવાર જીવરાજભાઈ પટેલ સામે કોંગ્રેસના ઉમેદવાર યુવા નેતા ગુલાબસિહ રાજપૂતનો વિજય થયો હતો આથી બનાસકાંઠા જિલ્લામાં 2019 બાદ કોંગ્રેસે સાત ચૂંટણી બેઠકો પર કબજો જમાવી દીધો હતો અને ભાજપ પાસે માત્ર બે બેઠકો બચી હતી