થરાદ ખાતે 22 માર્ચ 2020 શરૂ થયેલી કોરોનાની ગંભીર બીમારીના કારણે તાજીયા ઝુલુસ નહિ નીકળી શકતાં બે વર્ષ બાદ આ વર્ષે મુસ્લિમ કમિટી દ્વારા મહોરમ તાજીયા ઝુલુસ કાઢવામાં આવ્યું છે
જેમાં મુસ્લિમ બિરાદરોએ જણાવ્યું હતું કે ઇસ્લામ ધર્મના હજરત મહંમદ પયગંબર સાહેબના દોહીત્ર હજરત ઇમામ હુસેને ઇસ્લામધર્મનો નૈતિક મૂલ્યોની જાળવણી માટે કટ્ટરપંથીઓ સમક્ષ પોતાના ૭૧ સાથીઓ સહિત શહાદત વ્હોરી હતી.
આજે હજારો વર્ષ બાદ પણ હજરત ઇમામ હુસેનની કુરબાની ભૂલાઇ નથી જેથી તેનો માતમ મનાવવા મોહરમ મનાવવામાં આવી રહ્યો છે
શહેરના કાજીવાસથી નીકળેલ મોહરમ તાજિયાના ઝુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો મહિલાઓ સહિત જોડાયા હતાં જેથી રસ્તામાં ઠેર-ઠેર પાણી શરબત જેવી વ્યવસ્થાઓના કેમ્પ ગોઠવવામાં આવ્યા હતા
તાજીયા ઝુલુસમાં મુસ્લિમ બિરાદરોએ તલવાર લોખંડના સળિયા વડે હાય હુસેન હાય હુસેન નારા સાથે અલગ અલગ પ્રકારની કરતબો કરી હતી
પીઆઇ જેબી ચૌધરી સહિત પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ત્યારે તાજીયા ઝુલુસ આગળ વધતાં જૂની માર્કેટયાર્ડ થી મુખ્ય બજાર બળિયા હનુમાન ચોકથી ટાંડા નામના તળાવમાં આવેલ સુથારીયા કૂવામાં તાજીયા ઠારવામાં આવે છે