મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પૂર્વ કેબિનેટ મંત્રી અને લોકલાડીલા નેતા તેમજ બેટી બચાવો અને બેટી પઢાવો અભિયાનના પ્રણેતા આઈ. કે .જાડેજાના નેતૃત્વમાં યોજાયેલ એક વિશાળ 'તિરંગા યાત્રા'ને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આયોજિત કરાયેલી આ યાત્રાની શરૂઆતમાં વરસાદ શરૂ થવા છતાપણ લોકોનો ઉત્સાહ અવિરત જળવાઈ રહ્યો હતો. "ભારત માતા કી જય" અને "વંદે માતરમ્ " જેવા નારાઓના જયઘોષ વચ્ચે મુખ્યમંત્રી એ ૭૫૦ થી વધુ બાઈક સવારોની આ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.
સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણ દિવસ ફરનારી આ તિરંગા યાત્રા ધાંગધ્રા આવી પહોંચી હતી અને આજે બીજા દિવસે સવારે વંદે માતરમ અને ભારત માતા ના જય ઘોષ સાથે ધાંગધ્રા થી હળવદ ,સરા ,થાનગઢ મૂળી તરફના રૂટ પર પ્રસ્થાન કર્યું હતું ત્યારે ધાંગધ્રા ની વિવિધ સ્કૂલો ,સંસ્થાઓ તેમજ ધાર્મિક સ્થળો પર આ તિરંગા યાત્રાનું ઉમળકા ભેર ભવ્ય સ્વાગત કરાયા હતા જ્યારે તિરંગા યાત્રા નું નેતૃત્વ કરતા આઈ કે જાડેજા સહિતના મહાનુભાવોએ રૂટમાં વચ્ચે આવતા તમામ ધાર્મિક સ્થળોએ સંતોના સન્માન કરી આશીર્વાદ અને શુભેચ્છાઓ મેળવ્યા હતા આ યાત્રા કાલે અંતિમ દિવસે મૂળી થી પ્રસ્થાન કરી સુરેન્દ્રનગર જિલ્લાની વિધાનસભા ના વિવિધ વિસ્તારોમાં ફરશે અને