ગુજરાત રાજ્યમાં સુદર્શન ન્યૂઝની શરૂઆત થઈ રહી છે તેના ઉપલક્ષ્યમાં પરમ પૂજ્ય ૧૦૮ ગોસ્વામી શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીએ સુદર્શન ટીવી નેટવર્કના સંસ્થાપક શ્રી સુરેશ ચૌહાણકે અને સુદર્શન ન્યૂઝ ગુજરાતની ટીમને અભિનંદન તેમજ આશિર્વચન પાઠવ્યા.
પરમ પૂજ્ય ૧૦૮ ગોસ્વામી શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીએ સાથે એ પણ જણાવ્યું કે.. ગુજરાતી (ગુર્જર) ભાષાને સમાચાર તથા આયોજનો દ્વારા માધ્યમ મળે તે ગુજરાતી ભાષા માટે ગૌરવ લેવા જેવી વાત છે. સમાજને યોગ્ય માહિતી, યોગ્ય સમયે, યોગ્ય રીતે મળે તે માટે સુદર્શન ટીવી નેટવર્કની પ્રતિબદ્ધતા માટે તેમણે શુભાશિષ પાઠવ્યા હતા.