ધંધુકા વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કાળુભાઈ ડાભીના સમર્થનમાં ગુજરાત ભરવાડ સમાજ અગ્રણી શ્વિજયભાઈ ભરવાડ (ગોકુલ ડેવલોપર્સ, સુરત) દ્વારા બરાનીયા ખાતે સભા યોજવામાં આવી હતી. જેમાં ભડીયાદ ઠાકર દુવારાના મહંત શ્રી અરજણબાપુ દ્વારા જંગી મતથી જીતના આશીર્વાદ આપવામાં આવ્યા હતા.
તેમા સરપંચોની સાથે તમામ જ્ઞાતિના આગેવાનો તેમજ ગ્રામજનો એ કાળુભાઈ ડાભીને જંગી બહુમતિ થી જીતાડવા માટે આહ્વાન કર્યું હતું.