સંજેલી તાલુકાના પુષ્પ સાગર તળાવ કિનારે આવેલા ત્રિમંદિર ખાતે ખાતે આવેલા સાંઈબાબાના મંદિરનો સાઈબાબા સેવા સમિતિ સંજેલી દ્વારા વાર્ષિક પાટોત્સવ કાર્યક્રમ દર વર્ષની જેમ આ વર્ષે પણ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સેવા સમિતિના સભ્યો સહિતના ભક્તો જોડાયા હતા.
વહેલી સવારે સાત વાગ્યે નિત્ય આરતી અને સંજેલી નગરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા કાઢવામાં આવી હતી જે બાદ ધજા રોહન મહા આરતી મહાપ્રસાદી અને લોક ડાયરો સહિતના કાર્યક્રમો ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.