સંજેલી તાલુકામાં ઠાકોર ફળિયામાં આવેલી યુગ શક્તિ ગાયત્રી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રધ્ધા વિદ્યાલય સંજેલી ખાતે બંધારણ દિવસનાં અનુસંધાનમાં નિબંધ સ્પર્ધા તેમજ નિબંધ વાંચન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી શ્રધ્ધા વિદ્યાલય સંજેલીના આચાર્ય દિલીપભાઈ મકવાણા દ્વારા બંધારણ દિવસનાં મહત્વને લઈને બાળકો સાથે ચર્ચા કરી હતી અને બંધારણ દિવસની માહિતી આપી હતી. બંધારણ વિશ્વનું સૌથી લાંબુ લખાયેલું સંવિધાન છે. ઉલ્લેખનીય છે કે બંધારણ લાગુ થતાંજ સમાજની નિષ્પક્ષ ન્યાય પ્રણાલી મળી એવું જણાવવામાં આવ્યું હતું.
શ્રી શ્રધ્ધા વિદ્યાલય સંજેલીના આ. શિક્ષક અશ્વિનભાઈ સંગાડા દ્વારા સંવિધાનને વફાદાર રહેવાની અને આદર્શો અને સંસ્થાઓ, રાષ્ટ્રધ્વજ- રાષ્ટ્રગીત આદર કરવાની, પર્યાવરણ નું જતન અને રક્ષણ કરવાની તેમની સુધારણા કરવાની, તમામ જીવો પ્રત્યે અનુકંપા રાખવાની તેમજ ભારતીય સંવિધાન અને દેશના નેતાઓના યોગદાન, વિવિધ પ્રવૃતિઓ અને બંધારણના આમુખ વાંચન સાથે પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી.