તા.૨૫ જુન ના રોજ રાજેન્દ્ર નગર સોસાયટી માં ગાય એક થી દોઢ કલાક બીમાર હાલત માં ઉભેલ હતી અને ચલાતું નહોતું એ જોઈ પાર્થ પટેલ દ્વારા સરકાર તરફથી મળેલ યોજના ટોલ ફ્રી નંબર-૧૯૬૨ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ અને ડોક્ટર ને બોલાવી પછી ડોક્ટર એ આજકાલિક ધોરણે ઇન્જેક્શન અને દવાઓ આપી હતી.
અને ત્યાં ના રહેવાસી પાર્થ એસ પટેલ (નર્મદા જિલ્લા યુવા મંત્રી) અને ચિરાગ પટેલ. વિક્રમસિંહ ગોહિલ. રસિકલાલ ચૌધરી. અને આજુ બાજુ માં વસતા રહીશો એ સેવા માતૃ સેવા કરવા નો અવસર પ્રાપ્ત કર્યો અને પાર્થ પટેલ નું કહેવું છે કે અમે જે રીતે આજે સેવા પુરી પાડી એજ રીતે આપ સૌને અમારી નમ્ર વિનંતી કે આપની સોસાયટી માં કે રસ્તામાં જોવા મળતા બીમાર મુંગા પ્રાણી ઓ દેખાઈ તો સરકાર દ્વારા ફ્રી આપવામાં આવતી કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ ટોલ ફી નંબર ૧૯૬૨ પર કોલ કરી સેવા પુરી પાડવા વિનતી કરી.