सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

રાજકોટ સિવિલ હોસ્પિટલ અને ઈ.એન.ટી. સોસાયટીના ઉપક્રમે 'ન્યુરો નેવિગેશન સિસ્ટમ' વડે 'નોઝ ટુ સ્કલ' સર્જરીનો હેન્ડસ ઓન વર્કશોપ યોજાયો

મુંબઈના પ્રયાત સર્જન ડો. જયશંકર નારાયણ દ્વારા કેડએવર પર ‘બેઝિક ટુ એડવાન્સ સર્જરી’ ના લાઈવ પ્રસારણ દ્વારા ડોક્ટર્સને માર્ગદર્શન

જતિન જગડ
  • Jun 25 2022 8:08PM

‘ન્યુરો નેવિગેશન સિસ્ટમ’ થી સેન્સેટિવ વેઇન્સ અને ગ્લેન્ડને ટચ કર્યા વગર સફળ રીતે ટ્યુમર્સની નાક વાટે સર્જરી કરી શકાય છે - ડો. યશ પંડ્યા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અદ્યતન સાધન સુવિધા અને એક્સપર્ટ ડોક્ટર્સ કોઈ પણ પ્રકારની સર્જરી કરી શકવા સક્ષમ - ડો. નીરવ મોદી (પ્રેસિડન્ટ - ઈ.એન.ટી. સોસાયટી)   રાજકોટ તા. ૨૫ જૂન - રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇ.એન.ટી. વિભાગમાં સિવિલ તેમજ ઈ.એન.ટી. સોસાયટીના ઉપક્રમે ગુજરાતમાં પ્રથમ વાર ‘નોઝ થ્રુ સ્કલ’ સર્જરીનો ‘હેન્ડ ઓન વર્કશોપ’ મુંબઈના ખ્યાતનામ ડો. જયશંકર નારાયણની ઉપસ્થિતિમાં યોજાયો હતો.


જેમાં સર્જરી માટે આશીર્વાદ સમાન નવી ટેક્નોલોજી "ન્યુરો નેવિગેશન સિસ્ટમ"નો ઉપયોગ કરી માત્ર ટાર્ગેટ ટ્યૂમરને અન્ય કોઈ સેન્સેટિવ નર્વ કે ગ્લેન્ડને ટચ કર્યા વગર સેઈફ સર્જરી અંગેનુ નિદર્શન કરવામાં આવ્યું હતું, જેનું ઓપરેશન થીએટરમાંથી લાઈવ પ્રસારણ રાજકોટના ઈ.એન.ટી. સર્જન્સ અને રેસિડન્ટ ડોક્ટર્સની ટીમે નિહાળ્યું હતું.


આ વર્કશોપના આયોજનકર્તા ડો. યશ પંડ્યાએ જણાવ્યું હતું કે, નાક વાટે મગજના તાળવાના ભાગે કોઈ સર્જરી કરવી અત્યંત જટિલ હોય છે. જેમાં અનેક સેન્સીટિવ નર્વઝ, ધમની અને ગ્લેન્ડ્સ હોય છે. જે ખુબ જ સૂક્ષ્મ હોવાથી સર્જરી દરમ્યાન તે ભાગને ટચ કર્યા વગર કેન્સર કે અન્ય ગાંઠ દૂર કરવા આ સિસ્ટમનો ઉપયોગ થાય છે. હવેના સમયમાં નાકના દ્વારથી કોઈ પણ રિસ્ક વગર સર્જરી આવા ઉપકરણોના કારણે શક્ય બનશે. જે આવનારા સમયમાં રાજકોટમાં પણ શક્ય બનશે.


ઈ.એન.ટી. સોસાયટીના યુવા પ્રમુખ ડો. નીરવ મોદીએ આ અંગે વધુ વિગતો આપતા જણવ્યું હતું કે, મોં, નાક, ગળાના કેન્સર, આંખની નીચે કે મગજના તાળવે થતી ગાંઠો, સાયનસ, કાનના પડદાની સર્જરી વગેરેમાં પણ નોઝ થ્રુ સર્જરી આ સિસ્ટમથી વધુ સારી રીતે કરી શકાશે. જો કે આ સર્જરીમાં ન્યુરો સર્જન પણ સાથે રાખવા જરૂરી છે.


રાજકોટ સિવિલ ખાતે આ વર્કશોપ રાખવા પાછળનો ઉદેશ્ય સ્પષ્ટ કરતાં ડો. મોદીએ જણાવ્યું હતું કે, રાજકોટ સિવિલ હોસ્પિટલના ઈ.એન.ટી. વિભાગમાં અત્યાધુનિક સાધનો અને ડોક્ટર્સની ટીમ કોઈ પણ પ્રકારના ઓપરેશન કરવા સક્ષમ છે, જે આપણે કોરોના બાદ થયેલા મ્યુકર માઇકોસિસ રોગની સર્જરીમાં જોયું છે. જરૂરિયાતમંદ દર્દીઓને અમે સિવિલમાં સર્જરી કરવા માટે ખાસ ભાર મુકતા હોઈએ છીએ.


સિવિલના ઈ.એન.ટી. સર્જન ડો. સેજલ મિસ્ત્રીએ આ વર્કશોપ અંગે માહિતી પુરી પાડી જણાવ્યું હતું કે, આ વર્કશોપ મુંબઈમાં નાણાવટી, લીલાવતી, હિન્દુજા સહિતની હોસ્પિટલમાં સેવા આપતા તજજ્ઞ ડો. જયનારાયણે  લાઈવ સર્જરી દ્વારા અમારી સિવિલની ટીમ, રેસિડન્ટ ડોક્ટર્સને આ હેન્ડ્સ ઓન વર્કશોપથી ઘણું ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું છે. આ ઉપરાંત આવતી કાલે કાનની એડવાન્સ સર્જરી અંગે એક સેમિનાર ડો. જયશંકર નારાયણ અને હરિયાણાના ડો. માધુરી મહેતાના માર્ગદર્શન હેઠળ યોજાવાનો છે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી ડોક્ટર્સ ભાગ લેવાના છે.
બેંગલોરની એચ.આર.એસ. કંપની દ્વારા સંપૂર્ણ સ્વદેશી ન્યુરો નેવિગેશન સિસ્ટમ ડીવાઈસ તૈયાર કરવામાં આવ્યું છે. જેનો ખર્ચ લગભગ એક કરોડ જેટલો થતો હોવાનું કંપનીના એક્ઝિક્યુટિવે જણાવ્યું છે.


આ સિસ્ટમ સીટી સ્કેન કે એમ.આર.આઈ. ના ડેટાને કમ્પ્યુટરમાં ફિડ કરી જે પાર્ટની સર્જરી કરવાની હોય તેને સ્પોટ કરવામાં આવે છે. જે રીતે જી.પી.એસ. સિસ્ટમ વર્ક કરે તે જ રીતે ડોક્ટર્સને સર્જરી દરમ્યાન આ નેવિગેશન સિસ્ટમ સ્પોટ સુધી પહોંચવામાં મદદરૂપ બને છે.


રાજકોટ ઈ.એન.ટી. વિભાગ ખાતે આયોજિત વર્કશોપમાં ૧૫૦ થી વધુ ડોક્ટર્સે એડવાન્સ સર્જરી અંગે માર્ગદર્શન મેળવ્યુ હતું.


આ વર્કશોપને સફળ બનાવવામાં ફોરેન્સિક મેડિસિનના હેડ ડો રાજેશ કિયાડા, આર.એમ.ઓ ડો. મહેન્દ્ર ચાવડા તેમજ સમગ્ર મેડિકલ સ્ટાફનો સહયોગ પ્રાપ્ત થયો હતો.
  

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार