सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નવલી નવરાત્રીમાં મતદાર જાગૃતિ

નડિયાદ ખાતે યોગીફાર્મમાં યોજેયેલ ગરબા કાર્યક્રમમાં ઈવીએમ-વીપેટ નિદર્શન યોજાયું

યેશા શાહ
  • Oct 1 2022 5:41PM

આગામી સમયમાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ યોજાનાર છે. ભારતના ચૂંટણીપંચ અને મુખ્ય નિર્વાચન અધિકારી-ગાંધીનગર દ્વારા નવલી નવરાત્રીના મહોત્સવમાં મતદાન બાબતે લોક જાગૃતિ કેળવાય તે માટે જુદી-જુદી પ્રવૃત્તિઓનું આયોજન કરવા અંગે સૂચન કરવામાં આવ્યું છે.

આ અન્વયે ખેડા જિલ્લામાં ૧૧૬-નડિયાદ વિધાનસભા મત વિસ્તારમાં નડિયાદ-પીપલગ રોડ પર આવેલ યોગીફાર્મ ખાતે ગરબા કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.એલ. બચાણીએ હાજરી આપી હતી. કલેક્ટરએ કાર્યક્રમના સ્થળે ઈવીએમ - વીપેટ  નિદર્શન કામગીરીનું નિરીક્ષણ કર્યુ.

સાથે સાથે ખેલૈયાઓને આગામી ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન કરવા સંકલ્પ પત્રનું વાંચન કરાવી અનુરોધ કર્યો.
આ પ્રસંગે નાયબ જિલ્લા પોલિસ અધિક્ષક બાજપઈ, નાયબ મામલતદાર પઠાણ, નડિયાદ નગરપાલિકા સભ્ય સંજયભાઈ પટેલ, અગ્રણી દેવેન્દ્રભાઈ પટેલ,  મનીષભાઈ પટેલ, ઈવીએમ - વીપેટ  નિદર્શન ટેક્નિકલ ટીમ તથા મોટી સંખ્યામાં નડિયાદ શહેરના ખેલૈયાઓ ઉપસ્થિત રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार