ખાત્રજ ચોકડી ખાતે આવેલ ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે મંદિર પૂજારી ચીમનદાસજી ના હસ્તે ધર્મ ધજા નું પૂજન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે મહેમદાવાદ તાલુકાના વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ખાત્રજ ચોકડી જય ઘોષ સાથે સ્થાપના દિન ઉજવાયો હતો. ખાત્રજ ચોકડી ખાતે ધર્મ ધજા પણ લહેરાવવામાં આવી.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ની ભગિની સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદ ની સ્થાપના 1964માં RSS ના માધવરાય સદાશિવરાય ગોલવલકરજી(ગુરુજી )ના હસ્તે થઈ હતી,આ પ્રસંગે ભારત ભૂમિના મોટા ભાગના સંતો મહંતો ઉપસ્થિત હતા. ન હિન્દુ પતિતો ભવઃ ના દ્રઠ સંકલ્પ થી સ્થાપના થઈ. બધા જ હિન્દુઓ ભાઈ ભાઈ છે કોઈ અછૂત નથી.
એ સમયે સમાજમાં હિન્દુ પ્રત્યેની ભાવના સમાન થાય, કોઈ ઊંચનીચ ની ભાવના મનમાં રહે નહિ, ધર્મ રક્ષા કરવા માટે VHP ની સ્થાપના કરવી જરૂરી હતી. વિશ્વ હિન્દુ પરિષદ ની સ્થાપના થી ઘણા જ ધાર્મિક કાર્યક્રમને પણ વેગ મળ્યો.