આઝાદી કા અમૃત મહોત્સવ આઝાદીનાં ૭૫ વર્ષ પુરા થતા અમૃત મહોત્સવની ઉજવણી કરાઇ રહી છે. ત્યારે 15 મી ઓગસ્ટ તૈયારીના ભાગરૂપે ગામડાઓમાં દેશભક્તિનો માહોલ છવાયો છે . માંડવી નગરમાં આજે બપોર દરમિયાન તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું.
બારડોલીના સંસદ પર વસાવા તેમજ નગર અગ્રણીઓની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ હતી. મોટી જનસંખ્યામાં યોજાન તિરંગા યાત્રા માં માનવ મહેરામણમાં ઉમટી પડ્યું હતું . તિરંગા યાત્રા સ્થાનિક અગ્રણીઓ શૈક્ષણિક સંસ્થા શાળાના બાળકો તેમજ નગરજનો તિરંગા યાત્રામાં જોડાયા હતા .નગરમાં મોટી રેલી નીકળતા દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. તિરંગા યાત્રા માં માંડવી પોલીસના જવાનો તેમજ હોમગાર્ડના જવાનો પણ જોડાયા હતા.