હાલ માજ ગીરના કોડીનારના જંત્રાખડી ગામે 8 વર્ષની બાલા સાથે દુષ્કર્મ.બાદ તેની હત્યાની ઘટનાના પગલે રાજ્ય ભરમાં હાહાકાર મચ્યો છે. આ દીકરી સાધુ સમાજની હતી જેના કારણે સાધુ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે ત્યારે સુપ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુ આજે જંત્રાખડી પહોંચ્યા હતા જ્યા પીડિત પરિવારની મુલાકાત કરી બાપુએ તેને સાંતત્વના પાઠવી હતી મોરારીબાપુ બદ્રીનાથથી કથા પૂર્ણ કરી સીધા જ દીવ એરપોર્ટ પહોંચ્યા અને ત્યાંથી કાર મારફત જંત્રાખડી પહોંચ્યા હતા.
મોરારીબાપુએ સમગ્ર ઘટનાને દુઃખદ ગણાવી વખોડી કાઢી હતી પરિજનની મુલાકાત બાદ બાપુ સીધા જ બાળાના સમાધિ સ્થળ પહોંચ્યા હતા જ્યા તેમને બાળકીની આત્માને ભગવાન શાંતિ આપે તેવી પ્રાથના કરી હતી મોરારી બાપુએ ચોરાની અંદર રામધૂન બોલાવી હતી અને મીડિયાને પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આરોપીને સખતમાં સખત સજા થાય તેવી બાપુએ માંગ કરી છે.