કેરળના વિઝિંજમ વિસ્તારમાં અદાણી પોર્ટ પ્રોજેક્ટ સામે ચાલી રહેલા વિરોધ દરમિયાન રવિવારે રાત્રે થયેલી હિંસક અથડામણના સંબંધમાં 3000થી વધુ લોકો સામે કેસ દાખલ કરાવામાં આવ્યો છે. પોલીસે રાયોટિંગ અને ગુનાહિત કાવતરાના આરોપ હેઠળ કેસ નોંધ્યો છે.
એફઆઇઆરમાં પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરવા અને પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચાડવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હિંસામાં 40થી વધુ પોલીસ કર્મચારીઓ અને ઘણા સ્થાનિકો લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
પોલીસે જણાવ્યું હતું કે શનિવારે નોંધાયેલા કેસના આરોપી લીઓ સ્ટેનલી, મુથપ્પન, પુષ્પરાજ અને શંકીને અને કસ્ટડીમાં રહેલા અન્ય શંકાસ્પદોની મુક્તિની માંગ સાથે લગભગ 3000 લોકો વિઝિંજમ પોલીસ સ્ટેશનમાં એકઠા થયા હતા.
એફઆઈઆરમાં નોંધવામાં આવ્યું છે કે “લોખંડના સળિયા, લાકડીઓ, પથ્થરો અને ઈંટો સાથે સાંજે લગભગ 6 વાગ્યે ટોળું પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું અને પોલીસ સ્ટેશનની અંદર પોલીસને બંધક બનાવી હતી. જો આરોપીઓને છોડવામાં નહીં આવે તો પોલીસ સ્ટેશનને આગ લગાડવાની ધમકી આપી હતી.“પોલીસ વાહનોને નુકસાન થયું હતું અને પોલીસ સ્ટેશનની અંદરના ઓફિસ સાધનોનો નાશ કરવામાં આવ્યો હતો. હુમલાના પરિણામે લગભગ ₹85 લાખનું નુકસાન થયું હતું”.
પોલીસે આઈપીસીની કલમ 143 (ગેરકાયદેસર એસેમ્બલી), 147 (હુલ્લડો), 120-બી (ગુનાહિત કાવતરું), 447 (ગુનાહિત કૃત્ય) અને 353 (જાહેર સેવક પર હુમલો) સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. તિરુવનંતપુરમ શહેર પોલીસ કમિશ્નરે મીડિયાને જણાવ્યું કે પોલીસ સ્ટેશન પરના હુમલાને બિલકુલ યોગ્ય ઠેરવી શકાય નહિ. કમિશનરે કહ્યું કે “અમે પહેલાથી જ પૂરતા પોલીસ કર્મચારીઓને તૈનાત કરી દીધા હતા