કપડવંજમાં સામાજિક કાર્યકર મહિપતસિંહ ચૌહાણના સમર્થનમાં કપડવંજ તાલુકાના ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના કપડવંજ તાલુકા પ્રમુખ પવૅતસિંહ પરમાર, ચેતનસિંહ પરમાર , વિશાલસિંહ ઠાકોર સહિતના અનેક યુવાનો દ્વારા આવેદનપત્ર કપડવંજ મામલતદાર જય પટેલને આપવામાં આવ્યું હતું.
યુવાનોના જણાવ્યા અનુસાર મહિપતસિંહ એક સામાજિક કાર્યકર છે, લોકો હક્ક માટે એકલા હાથે લડત આપી દરેક સમાજના હજારો યુવાનોને ન્યાય અપાવ્યો છે.
તેઓ શૈક્ષણિક સંકુલ ઊભુ કરી અનાથ અને એસ.સી.,એસ.ટી. બાળકોને મફત શિક્ષણ આપવાનું પ્રશંસનીય કાર્ય કરી રહ્યા છે.
આવા ઉદાર વિચાર ધરાવતા મહિપતસિંહ ઉપર લાગેલ આરોપ બાબતે વહેલી તકે સાચો ન્યાય આપવામાં આવે તેવી અમારી માંગણી અને લાગણી છે.તેમ તેઓએ જણાવ્યું હતું.