શહેરના ત્રિવેણી પાર્કથી નદી દરવાજા રોડ પર આજે સવારે 10:30 કલાકના અરસામાં બે ઈસમો વચ્ચેની રકઝકમાં ત્રીજા માણસે વચ્ચે પડતા એક ઇસમે તેને ચપ્પુ કાઢી મારી નાખવાના ઇરાદે છાતી પર ત્રણ જેટલા ઘા મારતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ ઇસમને તાત્કાલિક નડિયાદ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.
આજે મોહરમનો તહેવાર હોવાથી હિન્દુ મુસ્લિમ યુવકો વચ્ચેની આ લડાઈ ગંભીર રૂપ ધારણ ન કરે તે માટે જિલ્લા પોલીસવડા રાજેશ અઢિયા તથા એલસીબીની ટીમે તાત્કાલિક કપડવંજ પહોંચી ડીવાયએસપી અને ટાઉન પીઆઇને જરૂરી સૂચનાઓ આપી હતી.
બનાવની વિગતો જોઈએ તો શબ્બીરમીંયા ઉર્ફે ધુમાલ હુસેનમીંયા મલેક (રહેઠાણ કાલીબસતી ,કપડવંજ ) રસ્તા વચ્ચે મુંગા રખડતા માણસને માર મારતો હતો.તે દરમિયાન અર્જુનભાઈ શંકરભાઈ નાયક ( ઉંમર વર્ષ 30 રહેઠાણ નવા બસ સ્ટેન્ડ સામે કપડવંજ ) વચ્ચે પડતા શબ્બીર મીંયાએ ઉશ્કેરાઇ જેમતેમ ગાળો બોલીને પેન્ટના ખિસ્સામાંથી ચપ્પુ કાઢી અર્જુનને મારી નાખવાના ઇરાદે છાતી ઉપર જમણી બાજુ તથા છાતીની ડાબી બાજુ બગલ નીચ વાસ તથા ડાબા પડખે ચપ્પાના ઉપરા ઉપરી ત્રણ ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ગંભીર ઈજા પામેલ અર્જુનભાઈને તાત્કાલિક નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યારે હુમલો કરનાર શબ્બીર મીયાને પોલીસે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર કેસની તપાસ ચૌધરી કરી રહ્યા છે.