આજરોજ કદવાળ નગરમાં નવરાત્રી મહોત્સવના સ્થાને શસ્ત્ર પુજનનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમા આજના સમયમાં પણ શસ્ત્રોનુ કેમ મહત્વ છે તે બાબતે શૌર્ય સભાને સંબોધતા જાણીતા સામાજીક આગેવાન અને વી.એચ.પી ના જ પુર્વ જીલ્લા સંગઠનમંત્રી અજીતદેવ પારગીએ સંબોધીત કરી હતી. પોતાના આગવા અંદાજમા શક્તિ વિના શાસ્ત્રો રડે છે કહી જ્ઞાનની સાથે શસ્ત્ર શક્તિ ની જરુરિયાત પર ભાર મુક્યો હતો અને હિન્દુ સમાજને જાતીવાદના નામ પર વિભાજીત કરતા તત્વોને આડેહાથ લીધા હતાં.
હિન્દુ સમાજને જાતીના આધારે તોડતા લોકો સામાજીક વૈમનસ્ય ઉભુ કરે છે અને હિન્દુ સમાજ જીરો દેખાવો જોઈએ તેવું ઈચ્છે છે. પરંતુ હવે કદવાળ નો હિન્દુ સમાજ જીરો નહીં પણ હિરો બનવા તરફ જઈ રહ્યો છે ત્યારે શક્તિ અને શસ્ત્રોનો જરુર પડ્યે ધર્મ કાર્યમાટે ઉપયોગ કરવા કટિબધ્ધ થવા આહ્વાન કરાયુ હતું. તેમણે જીલ્લામા થતાં ધર્માન્તરણના મામલાઓનો પણ ખુબ વિરોધ કર્યો હતો. આજના કાર્યક્રમા ૩૦૦ થી પણ વધુ ભાવીક ભક્તો માતાઓ વગેરે ઉપસ્થિત હતાં અને સૌએ શસ્ત્ર પુજન કર્યું હતું. સાથે જ વિશ્વ હિન્દુ પરિષદ દાહોદ જીલ્લા સહમંત્રી મનિષભાઈ પંચાલ સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.