सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ગુજરાત-વાપી શ્રમિક અન્નપૂર્ણા યોજના નો નાણામંત્રી નાં હસ્તે શુભારંભ

વાપી શ્રમિક અન્નપૂર્ણા યોજના નો નાણામંત્રી નાં હસ્તે શુભારંભ કર્યું હતું. નાણામંત્રી એ કહ્યું રાજ્ય મા રોજના ઓછા માં ઓછાં 1 લાખ શ્રમિકો ને માત્ર રૂ 5 માં પૌષ્ટિક ભોજન મળશે.

રિપલભાઈ ઉત્તમભાઈ પટેલ
  • Feb 13 2023 9:25PM
રાજયના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણબોર્ડ દ્વારા તા.12 મી ફેબ્રુઆરીને રવિવારના રોજ સવારે વલસાડ જિલ્લાના વાપી શહેરના ગુંજન સર્કલ પર કડિયાનાકા ખાતેથી રાજયના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઇએ માત્ર રૂા. 5/- માં સાત્વિક ભોજન આપતી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો રીબીન કાપી શુભારંભ કરાવ્યો હતો. ભોજન મળવાની સાથે શ્રમિકોનો સમય પણ બચશે આ પ્રસંગે મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે, કોરોનાના કારણે શ્રમિક અન્નપૂર્ણા યોજના બંધ કરાઈ હતી. પરંતુ હવે ફરી આ યોજના ચાલુ કરવામાં આવી છે. રાજ્યમાં અંદાજીત 1 લાખ શ્રમિકોને રોજના રૂ. 5માં પૌષ્ટિક ભોજન મળી રહેશે. ગુણવત્તાયુક્ત ભોજન મળવાની સાથે શ્રમિકોનો સમય પણ બચશે. રાજ્યમાં કોઈ પણ શ્રમિક ભુખ્યો ન રહે તે માટે સરકાર ચિંતિત છે, જેથી જેની પાસે શ્રમિક નોંધણી કાર્ડ ન હોય તો તેને પણ ભોજન મળી રહેશે . ધનવંતરી રથ દ્વારા શ્રમિકોના હેલ્થનું ચેકઅપ વલસાડ જિલ્લામાં આ યોજના 6 કડિયાનાકા ખાતેથી શરૂઆત કરવામાં આવી છે. જેમાં વલસાડ શહેરમાં ર્ડા. મોંધા દેસાઇ હોલની સામે, ધરમપુર નગરમાં હાથીખાના, વાપી શહેરમાં ઝંડાચોક, ભડકમોરા, GIDC વાપી અને પારડી શહેરના બસ સ્ટેન્ડ ખાતે આ યોજનાનો બાંધકામ શ્રમિકોને લાભ મળશે. આજે લોકાપર્ણ પ્રસંગે જિલ્લા પંચાયતના આરોગ્ય ખાતાની ધનવંતરી રથની ટીમ ઉપસ્થિત રહી હતી જેઓએ શ્રમિકોનું હેલ્થનું ચેકઅપ કર્યું હતું. મંત્રીએ ધનવંતરી રથ અને નોર્થ સ્ટાર ડાયગ્નોસ્ટીક સેન્ટરના સ્ટોલની પણ મુલાકાત લીધી હતી. ધનવંતરી રથ દ્વારા શ્રમિકોના હેલ્થનું ચેકઅપ કરાયું હતું, જયારે નોર્થ સ્ટાર દ્વારા શ્રમિકોના 17 પ્રકારના ટેસ્ટ ફ્રીમાં કરવામાં આવતા હોવાની માહિતી શ્રમિકોને અપાઈ હતી જેની પાસે ઇ- નિર્માણ કાર્ડ ન હોઇ તેઓ બુથ પર જ હંગામી નોંધણી કરી શકશે આ યોજનામાં ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણબોર્ડ દ્વારા ઇ- નિમાર્ણ પોર્ટલમાં નોંધાયેલા શ્રમિકોને શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે બાંધકામ શ્રમિકે પોતાનું ઇ- નિમાર્ણ કાર્ડ લઇ, શ્રમિક અન્નપૂર્ણા યોજનાના ભોજન વિતરણ કેન્દ્ર પર જઇ કાર્ડમાં દર્શાવેલ ઇ-નિમાર્ણ નંબર અથવા QR કોડ સ્કેન કરાવી ભોજન વિતરણ કેન્દ્ર પરથી રૂા. 5/- ના ટોકન મારફત તેને અને તેના પરિવારને રૂા. 5/- માં સાત્વિક ભોજન મળી શકશે. જે લાભાર્થીઓ પાસે ઇ- નિર્માણ કાર્ડ ન હોઇ તેઓના માટે બુથ પર જ બાંધકામ શ્રમિકની હંગામી નોંધણી થાય છે અને 15 દિવસ સુધી ભોજન મેળવી શકે છે. આ પ્રસંગે વાપી VIA પ્રમુખ કમલેશ પટેલ, માનદમંત્રી સતિષ પટેલ, વાપી નોટિફાઈડના પ્રમુખ હેમંત પટેલ, વાપી પાલિકા માજી પ્રમુખ વિઠ્ઠલ પટેલ, મદદનીશ શ્રમ આયુક્ત જે.આર.જાડેજા, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યના વલસાડ જિલ્લાના નિયામક ડી.કે.વસાવા, નોર્થ સ્ટાર ડાયગ્નોસીસ સેન્ટરના માર્કેટીંગ ડિપાર્ટમેન્ટના દિપેશ સુથાર અને શ્રમયોગીઓ મોટી સંખ્યામાં ઉપસ્થતિ રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार