બિસ્વા: 2024 નહીં, 2050ની ચૂંટણીમાં પણ 2002નો મુદ્દો આવશે
આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વ શર્માએ કહ્યું કે ગુજરાતનું ખરૂ નિર્માણ જ 2002 પછી થયું. અહીં તે પછી કોમી રમખાણોને બદલે વિકાસ થયો છે
ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવેલા ભાજપના સ્ટાર પ્રચારક અને આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વ શર્માએ કહ્યું કે ગુજરાતનું ખરૂ નિર્માણ જ 2002 પછી થયું. અહીં તે પછી કોમી રમખાણોને બદલે વિકાસ થયો છે. તેથી આગામી 2024ની લોકસભા ચૂંટણી જ નહીં, 2050ના વર્ષમાં પણ જો ચૂંટણી થશે તો તેમાં ગુજરાત અને 2002નો મુદ્દો જરૂર આવશે.
શર્માએ કહ્યું કે નરેન્દ્ર મોદીએ ભારતમાંથી આતંકવાદનું નામોનિશાન મીટાવી દીધું છે. અમુક ચોક્કસ વર્ગના લોકો ભારતમાં આતંકવાદને પ્રોત્સાહન આપે છે. તે વર્ગમાં કેટલાંક અલગતાવાદી તત્ત્વો છે તો કેટલાંક રાષ્ટ્રપ્રેમી લોકો પણ છે. તે રાષ્ટ્રપ્રેમી લોકોનો સહયોગ લઇને ભારતનો વિકાસ સાધવાનો છે. હિંદુઓને પણ પોતાનો રાજકીય મત વ્યક્ત કરવાનો અધિકાર છે અને તેઓ પોતાની સંસ્કૃતિ અંગે ગર્વ લઇ શકે તે જરૂરી છે.
તેમણે કહ્યું કે ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં અલગતાવાદી વિચારધારા વિરોધી વલણ અપનાવ્યું છે તે સારું છે. ભાજપ આવાં તત્ત્વોને જેર કરવાની સાથે લઘુમતી સમુદાયને પણ ટ્રીપલ તલાક જેવા દુષણોથી બહાર લાવવા માંગે છે. કોંગ્રેસ હંમેશા તુષ્ટીકરણની રાજનીતિ કરતી આવી છે અને તે તેમની આદત છે. શ્રધ્ધા મર્ડર કેસ જેવી ઘટનાઓ તેમની આવી નીતિઓનું પરિણામ છે.
રાહુલ ગાંધી દાઢી કઢાવી નાંખે તો નેહરુ જેવા લાગશે
આ અગાઉ હેમંત બિસ્વ શર્માએ રાહુલ ગાંધીની વધેલી દાઢીનો લૂક સદ્દામ હુસૈન જેવો લાગે છે તેવી ટિપ્પણી કરતા કોંગ્રેસ તેમના પર વરસી હતી. શર્માએ કહ્યું કે એમાં ખોટું નથી કે રાહુલ સદ્દામ જેવા લાગે છે, જો તેઓ દાઢી કઢાવી નાંખે તો ફરી પાછા નેહરુ જેવા લાગવા માંડશે. મારા જેવા નાના કાર્યકર્તાના નિવેદનથી આખી કોંગ્રેસ છંછેડાઈને પ્રતિક્રિયા આપે છે તેને બદલે તેમને પોતાની પાર્ટી પર ધ્યાન આપવું જોઇએ.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प