દિવ ના વણાકબારામાં વિશ્વ સિંહ દિવસ ની સરકારી પ્રાથમિક શાળા નંબર એકમાં ઉજવણી કરવામાં આવી. જેમાં બાળકોએ "સિંહ બચાવો" વિષય આધારિત ચિત્ર અને " સાવજ તો સાવજ કહેવાય..." નિબંધ સ્પર્ધા પણ યોજાઈ જેમાં પ્રથમ, બીજો અને ત્રીજા ક્રમ પ્રાપ્ત કરનાર બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
આ પ્રસંગે શ્રી રમેશભાઈ રાવલ, શ્રી માનશીન બામણીયા ઉપસ્થિત રહી બાળકોને " વિશ્વ સિંહ દિવસ" વિશે માહિતી આપી અને પ્રતિજ્ઞા પણ લેવામાં આવી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રીમતી મેઘનાબેન બારીયા ( શાળાના આચાર્ય) તેમજ શિક્ષકોએ ઘણી જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમનું સંચાલન શ્રી હિરેન માનસેતાએ કર્યું હતું.