કેન્દ્ર શાસીત પ્રદેશ દિવ ખાતે કાજળા નામનો અનોખો ઉત્સવ ઉજવવા મા આવે છે જે ખાલી દીવ મા જ જોવા મળે છે આ ઉત્સવ કબીર ની યાદ મા કરવા મા આવે છે જેમા લોકો ખુબજ ઉત્સાહપૂર્વક નારીયળ ને લુટે છે નારિયલ લુટનાર ખુબ જ ભાગ્યશાળી ગણાય છે
કેન્દ્ર શાસીત પ્રદેશ દિવ મા અનેક ત્યોહાર ઉજવાય છે પરંતુ દીવ ના વાંજા જ્ઞાતિ ના લોકો દર વર્ષે કાજળા નામનો અનોખો ત્યોહાર ઉજવે છે આ વર્ષે પણ આ ત્યોહાર ની ઉજવણી થઈ જેમા મોટા કદ વાળા શ્રીફળ ની ધાર્મિક પૂજા વિધિ બાદ તેને નાગરવેલ ના પાન વાંસ ના ટુકડા વડે લાલ દોરા થી બાંધી એક પાલખી તૈયાર કરવામાં આવી હતી આ પાલખી ની વચ્ચે પૂજા વિધિ કરેલ નારિયેળ રાખવામાં આવેલ આ પાલખી ને પુલીસ બંદોબસ્ત સાથે અને ભજન કીર્તન બેન્ડ બાજા સાથે ગલીઓ મા થઈ દીવ ના ઝાંપે પહોચાડવા મા આવ્યુ હતું જ્યા શિતળા માતા ના મંદિર પાસે સાત ફેરા ફરી હજારો લોકો ને લુટવા માટે આપવામા આવ્યુ જે વ્યક્તિ ના હાથ આ નારીયળ આવે છે એ ખુબ જ નસીબદાર કહેવાય છે.
આ વર્ષે દીવ ના ઝોલાવાડી ના યતિન રમેશ સોલંકી ના હાથ મા નારીયળ આવ્યું હતું નારીયળ નુ સત છે કે નારીયળ ખાવા થી જેને ત્યાં સંતાન ના હોય તો સંતાન પ્રાપ્તિ થાય છે નારીયળ નુ ખૂબ મહત્ત્વ છે નારિયેળ લુટતી વખત ફુલ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી નારિયેળ લુટતા સમયે જપાજપી મા લોકો ને રક્ષણ આપી શકે આ ત્યોહાર માટે ખાસ લોકો દેશ વિદેશ થી આવે છે અને બહોળી સંખ્યામાં ભાગ લે છે કાજળા ઉત્સવ દીવ સિવાય ક્યાય પણ ઉજવવામાં આવતો નથી.