ધ્રાંગધ્રા વિસ્તારમાં હંમેશા લોકોના કાર્યો કરવા અગ્રેસર રહેતા અને નગરપાલિકાના ઉપપ્રમુખ તેમજ ભારતીય જનતા પાર્ટીના વર્ષોથી વિશ્વાસુ સદસ્ય એવા રફિકભાઈ ચૌહાણ નું દુઃખદ અવસાન થયેલ તેમની સ્મશાન યાત્રામાં (જનાજો)માં આઈ. કે. જાડેજા (પૂર્વ કેબિનેટ મંત્રી) જિલ્લાના હોદ્દેદારો, ધ્રાંગધ્રા શહેર સંગઠનના તમામ હોદ્દેદારો, ગ્રામ્ય સંગઠનના તમામ હોદ્દેદારશ્રીઓ, વિવિધ મોરચાના તમામ હોદ્દેદારો, ધ્રાંગધ્રા નગરપાલિકા તમામ હોદ્દેદારો, સમસ્ત ધ્રાંગધ્રા વિસ્તાર ના તમામ વેપારીઓ, દરેક સમાજના આગેવાનો, કામદાર મિત્રો, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, વિવિધ સંસ્થાના આગેવાનો, તેમજ વિવિધ પક્ષના આગેવાનો, પત્રકારમીત્રો, સગા-સંબંધીઓ, મિત્રો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.