રાજ્યમાં યોજાનારી ચૂંટણીને હવે હવે ગણતરીના દિવસો બાકી છે. અને રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પુર જોશમાં ચાલી રહ્યો છે. ત્યારે ધ્રાંગધ્રામાં ભાજપ દ્વારા શહેર વેપારી મહામંડળ અને વેપારી એસોસીએશન ના વિવિધ સંગઠનના આગેવાનો ના સંમેલનો યોજાયા હતા જેમાં તમામ નાના મોટા વેપારીઓ અને સંગઠનો દ્વારા પણ ભાજપના ઉમેદવાર ની જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.આ કાર્યક્રમમાં ભાજપના આગેવાન આઈ.કે. જાડેજા, વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન ક્રિષ્નાજી અગ્રવાલ, સહિત ભાજપના આગેવાનો અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તેમજ ઉપસ્થિત વિવિધ એસોસીએશન અને સંગઠનના વેપારી આગેવાનોએ પણ ભાજપના ઉમેદવારને જીતાડવા નીંખાત્રી આપવા સાથે ભાજપના ઉમેદવારે પણ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે રાજ્યમાં વિકાસના કામો થયા છે સાથે લોકોની સલામતી માટે કાયદો વ્યવસ્થા સારી કરવામાં આવી છે. અને ગુજરાતમાં હજી વધુ વિકાસ થાય અને લોકોને રોજગારી મળે તે દીશામાં પણ આગામી દિવસોમાં સરકાર દ્વારા કામ કરવામાં આવશે સાથે ધ્રાંગધ્રા હળવદ વિધાનસભા વિસ્તારની પ્રજાને પણ રોજગારી પુરી પડે તેને પણ પ્રાધાન્ય આપવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા પણ લોકો આત્મનિર્ભર બને અને તે માટે હાથ ધરાયેલા યથાયોગ્ય પ્રયત્નો થકી ગુજરાત આગળ આવશે અને દેશ માટે શ્રેષ્ઠ ઉદાહરણ બનશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. તેમજ આ પ્રસંગે ઉપસ્થિત ભાજપ આગેવાન આઈ.કે.જાડેજાએ પણ રોડ ,રસ્તા,નર્મદા ના પાણી સહિત ની વિકાસની વાતો સાથે ભાજપ ના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરા ને જીતાડવા અપીલ કરી હતી.