પોતાના બાળકોનું લાબું આયુષ્ય અને નિરોગી રહે તે માટે મોટી સંખ્યામાં દર્શનાથી આવે છે દર્શને
વહેલી સવારથી મોડી રાત સુધી લોકો આવે છે દર્શને
આજના દિવસે લોકો ઠંડુ ખાય છે
શ્રાવણ વદ-૭ (સાતમ) આજના દિવસે ઠંડુ ખાવાનો રિવાજ છે. આજે ધ્રાંગધ્રામાં આવેલ શીતળા માતાનું મંદિર ૨૦૦ વર્ષ કરતા વધુ જુનું છે. અને સ્ટેટ વખતનું આ મંદિર છે. આજે વહેલી સવારથી લાંબી લાઇનો હતી.શ્રાવણ વદ-૭(સાતમ) ના રોજ મેળો ભરાય છે. જેમાં, હજારો ની સંખ્યામાં માણસો આવે છે. સાતમના દિવસે મંદિરે દર્શને આવતા લોકો માતાજીને શ્રીફળ, ચુંદડી, નેણા-ફુલા, માતાજીની આંખ, જીભ, તેમજ ચોટલો પણ ચડાવે છે. પોતાના બાળકોનું સારા આરોગ્ય અને લાંબા આયુષ્ય માટે બાળકની માતાઓ માતાજી પાસે પ્રાર્થના કરે છે. આ મંદિરે સવારથી લઇને મોડી રાત સુધી માણસો આજના દિવસે દર્શને આવે છે. મંદિરે સવારે અને સાંજે સુર્યાસ્ત સમયે આરતી થાય છે. મંદિરે આવતા દર્શનાર્થીઓ અલગ-અલગ બાધાઓ રાખે છે જેવી કે, પગપાળા આવું, દંડવત કરતું આવું. કે ઠંડુ ખાવાનું જેવી બાધાઓ હોય છે.આ મંદિરે આજુ-બાજુનાં ગામડાનાં તેમજ શહેરના લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે અને માતાજીના આર્શીવાદ મેળવે છે. આ જગ્યા ઉપર શ્રાવણ મહિનાની સાતમ,આઠમ, નોમ અને દસમ ચાર દિવસ મોટો મેળો પણ ભરાય છે.જેમાં મોટી સંખ્યામાં લોકો આ મેળો માણવા ઉમટી પડે છે.