દિયોદર ખાતે આજે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં દિયોદર ના રાજમાર્ગો ઉપર આદીવાસી સમાજ ના લોકો દ્વારા રેલી કાઢવામાં આવી હતી જેમાં એક ત્રીર એક કમાન સભી આદીવાસી એક સમાન ના નારા લગાવ્યા હતા અને સમગ્ર દિયોદર ના માર્ગો ઉપર રેલી યોજાઇ હતી ત્યાર બાદ દિયોદર ખાતે આવેલ લોહાણા વાડી ખાતે આદિવાસી સમાજ ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો ત્યાર બાદ આદિવાસી સમાજ ના લોકો દ્વારા પધારેલા આગેવાનો મહેમાનોનુ સન્માન કરવામા આવ્યું હતું જેમાં દિયોદર ધારાસભ્ય શિવાભાઇ ભુરીયા કોંગ્રેસ પાર્ટી ના જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર કેસાજી ચૌહાણ ડો.રાજસિંહ પરમાર સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો....