આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ ના તમામ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ દ્વારા દાહોદ નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ ને આવેદન આપવામાં આવ્યુ જેમાં ખાસ કરીને ગૌમાતાને ધ્યાનમાં રાખીને તેમને ખાસ રહેવાની જગ્યા અને બીજું દાહોદ શહેરમાં રખડતા જાનવરો ને લઈને ટ્રાફિકની સમસ્યા ત્રીજુ દાહોદ શહેરમાં રખડતા જાનવરોને લઇને અવારનવાર થતાં અકસ્માતો અને ખાસ મુદ્દો શીતળા માતા મંદિર છે જેની અંદર શીતળા માતા મંદિર ની જમીનનું દબાણ અને આજુબાજુ ગંદકી ને લઈને રજૂઆત કરવામાં આવી સાથે-સાથે દાહોદ નગરપાલિકા દ્વારા હાથ લારી ગલ્લાવાળાઓને એક ચોક્કસ જગ્યા ફાળવવામાં આવેલી છે છતાં પણ તે લોકો તે જગ્યા ભાડે આપી અને જે તે જગ્યાનું દબાણ કરી રાખ્યું છે અને સાથે સાથે આપેલી જગ્યાઓ નું ભાડું ખાય છે અને બજારની અંદર અનેક હાથ લારી ગલ્લાવાળા કે જે ખાવા ખોરાકની વસ્તુઓ નું વેચાણ કરે છે તે કોઈપણ જાતની સાફ-સફાઈ કે ચોખસાઈ નું ધ્યાન રાખતા નથી તે બધી વસ્તુ ખુલ્લામાં જ રાખે છે અને ખુલ્લામાં વેચે છે એટલે મોનસુન સત્ર ધ્યાનમાં રાખીને જે બિમારી અને રોગચાળો ના થાય તેના સંદર્ભમાં નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ નું ધ્યાન દોરવામાં આવ્યું અને સાહેબને વિનંતી કરવામાં આવી કે અમારા સાતે મુદ્દાઓ પર ખાસ અમલમાં લાવે નહીં તો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ ઉગ્ર વિરોધ કાર્યક્રમ નું આયોજન કરશે.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ હિન્દુ ધર્મના અને હિન્દુ હિતના તમામ કાર્યોમાં અગ્રેસર રહેશે અને હિન્દુઓના તમામ કાર્યોને કર્મ અને નિષ્ઠાથી પૂર્ણ કરવા વચનબદ્ધ છે