• ડભોઇમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે મૌન રેલી યોજાય હતી.
• ડભોઇ નગરમાં 14 ઓગસ્ટ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે ડભોઇ ભારતીય જનતા પાર્ટી દ્વારા મૌન રેલી કાઢવામાં આવી હતી.
14 ઓગસ્ટ વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ ના અવસરે ડભોઈ નગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મૌન રેલી કાઢવામાં આવી હતી વિભાજન હિંસાનો ભોગ બનનાર અને વિસ્થાપન નો દર્દ ભોગવનાર લોકોને શ્રદ્ધા સુમન અર્પણ કરવા માટે મૌન રેલી કાઢવામાં આવી હતી જે વડોદરી ભાગોળ, કાજીવાડા મસ્જિદ, ટાવર, કંસારા બજાર થાઇ પરત વડોદરી ભાગોળ પૂર્ણ કરવામાં આવી હતી મૌન રેલીમાં ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, શશીકાંતભાઈ પટેલ, ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, અશ્વિનભાઈ પટેલ (વકીલ) નગર ના આગેવાનો સહિત સૌ આ મૌન રેલી માં જોડાયા હતા.