सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ભરૂચ દહેજ રેલવે ટ્રેક ઉપરથી અજાણ્યા બે યુવાનો ટ્રેનની અડફેટે આવતા મોત

ભરૂચ શક્તિનાથ નજીકના રેલવે ટ્રેક ઉપરથી ૨ અજાણ્યા મૃતદેહ મળતા પોલીસે તપાસ શરૂ કરી, ગુડઝ ટ્રેનના ડ્રાઇવરે રેલવે તંત્રને જાણ કરતાં પોલીસની તપાસ શરૂ

રાકેશ ચૌમલ
  • May 21 2022 6:46PM
ભરૂચ દહેજ વચ્ચે રેલવે ટ્રેક ઉપરથી પર ગુડ્સ ટ્રેન ચાલી રહી છે જે રેલવે ટ્રેક ઉપર શક્તિનાથ નજીક ૨ યુવકો ટ્રેનની અડફેટે આવી ગયા હોવાની જાણ ટ્રેનના ડ્રાઇવરે રેલવેને કરતા રેલવે તંત્રએ સ્થળ પર દોડી આવ્યો હતો અને બન્ને મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ આરંભી છે

બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ દહેજ વચ્ચે ગુડઝ ટ્રેન ચાલી રહી છે અને સવારે ભરૂચ રેલવે થી દહેજ તરફ ગુડઝ ટ્રેન પસાર થઇ રહી હતી તે દરમિયાન શક્તિનાથ રેલવે ટ્રેક પાસે ૨ અજાણ્યા યુવકો ટ્રેનની અડફેટે આવી ગયા હોવાની જ ટ્રેનના ડ્રાઇવરે ભરૂચ રેલવે કરી હતી સ્થળ પર દોડી આવેલી રેલવે પોલીસે તપાસ કરતા બન્ને મૃતદેહો રેલવે ટ્રેકની સાઇડ ઉપર પડ્યા હતા જેના કારણે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તેના વાલીવારસોની શોધખોળ કરતા બંને ભરૂચની અયોધ્યા નગર ઝૂંપડપટ્ટીના રહેવાસી હોવાનું તથા મૃતકોમાં એકનું નામ રાકેશ સધ્યો માવી..ઉવ.૨૬ તથા ચદરૂ  કલજી પરમાર.ઉવ.૩૫ રહે મૂળ દાહોદના અને હાલ ભરૂચમાં મજૂરીકામ અર્થે સ્થાયી થયા હોવાની માહિતી મળી હતી અને મજૂરી કામે ગયા બાદ પરત ન આવતાં તેને પરિવાર જનોએ શોધખોળ આરંભી હતી

ભરૂચ રેલવે પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી બંનેના મૃત્યુ રેલ્વે ટ્રેનની અડફેટે થયા છે કે પછી હત્યા કે આત્મહત્યા તે અંગે તપાસનો દોર લંબાવ્યો છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार