"હર ઘર તિરંગા યાત્રા" બનાસકાંઠા જિલ્લાના ભાભર ગામે પહોંચી હતી ત્યારે ભાભરના ભા.જ.પ કાર્યકર્તાઓ દ્વારા "તિરંગા યાત્રા" નું કરાયું સ્વાગત............................................
આઝાદીની 75 મી વર્ષગાંઠ નિમિત્તે એક અભિયાન પણ ચાલી રહ્યું છે તેનું નામ "હર ઘર તિરંગા" છે જેમાં 13 થી 15 ઓગસ્ટ ની વચ્ચે દેશના હરેક ઘરમાં તિરંગો ફરકાવવાનો છે જેમાં દેશના 25 કરોડ ઘરોમાં તિરંગો ફરકાવવાનું લક્ષણ નક્કી કરવામાં આવ્યું છે. લોકો આ અભિયાનમાં સક્રિય પણે ભાગ લઈ રહ્યા છે જે અંતર્ગત હાલમાં રાજ્ય સરકાર દ્વારા તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે.
આ તિરંગા યાત્રા સમગ્ર ગુજરાત ભરમાં ફરી રહી છે અને આ તિરંગા યાત્રા કાર્યક્રમ અંતર્ગત લોકોને તિરંગા નું મહત્વ શું છે તે સમજાવવામાં આવી રહ્યું છે કે લોકોને તેમની ઓફિસ અને ઘરોમાં તિરંગો ફરકાવવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આ તિરંગા યાત્રા બનાસકાંઠા જિલ્લાના ભાભર શહેરમાં આવી પહોંચતા ભાભર તાલુકા ભા.જ.પ કાર્યકર્તાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે ભાભર ખાતે ભા.જ.પ દ્વારા યોજવામાં આવેલી તિરંગા યાત્રા આવી પહોંચતા જિલ્લા ભા.જ.પ પ્રમુખ ગુમાનસિંહ વાઘેલા, પ્રદેશ ભાજપ મંત્રી નૌકાબેન પ્રજાપતિ, શહેર ભા.જ.પ પ્રમુખ અમરતભાઈ, ભાભર નગરપાલિકા કોર્પોરેટર ના સદસ્યો, યુવા મોરચા ભા.જ.પ.સહિત સમગ્ર જિલ્લામાંથી અને તાલુકામાંથી ભા.જ.પ ના કાર્યકર્તાઓ દ્વારા હાથમાં તિરંગો લઈ ડી.જે ની સાથે વાજતે ગાજતે ભારત માતાકી જય ના નારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું