અમદાવાદમાં રથયાત્રાને લઈને પોલીસ દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે, જેમાં રથયાત્રાના રુટ પર વાહનોની અવરજવર અને પાર્કિંગને લઈને પણ નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદમાં કેટલાક નક્કી કરવામાં આવેલ રસ્તાઓ પર 30 જૂન અને 1 જુલાઈના બે દિવસ દરમિયાન કોઈ પણ વાહનનું પાર્કિંગ થઈ શકશે નહીં. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
કયા કયા રસ્તાઓ પર પાર્કિંગ નહીં થઈ શકે?
•જમાલપુર દરવાજા બહાર જગન્નાથ મંદિરથી જમાલપુર ચકલા
•વૈશ્ય સભા
•ખમાસા
•ગોળ લીમડા
•આસ્ટોડિયા ચકલા
•મદન ગોપાલની હવેલી
•રાયપુર ચકલા
•ખાડીયા જૂની ગેટ
•ખાડીયા ચાર રસ્તા
•પાંચકુંવા
•કાલુપુર સર્કલ
•કાલુપુર ઓવરબ્રિજ
•સરસપુર
•પ્રેમ દરવાજા
•જોર્ડનરોડ
•બેચર લશ્કરની હવેલી
•દિલ્હી ચકલા
•હલીમની ખડકી
•શાહપુર દરવાજા
•શાહપુર ચકલા
•રંગીલા ચોકી
•આર.સી હાઈસ્કૂલ
•દિલ્હી ચકલા
•ઘી કાંટા રોડ
•પાનકોર નાકા
•ફુવારા
•ચાંદલા ઓળ
•સાંકડી શેરીના નાકેથી માણેકચોક શાકમાર્કેટ
•દાણા પીઠ
•ખમાસાથી જગન્નાથ મંદિર સુધી
રથયાત્રાના રુટ પર લોકો વાહન પાર્ક ન કરે તે માટે જાહેરનામું
પોલીસ કમિશનરના જાહેરનામનું 30 જૂન અને 1 જુલાઈએ જ્યાં સુધી રથયાત્રા પુરી ના થાય ત્યાં સુધી પાલન કરવાનું રહેશે. જે લોકો આ જાહેરનામનું પાલન ના કરીને આ રસ્તાઓ પર વાહન પાર્ક કરશે તો તેમની સામે કલમ 188 અને 131 મુજબ કાર્યવાહી થશે.
કાલુપુર જનારા મુસાફરો માટે બસ અને ઈ-રીક્ષાની વ્યવસ્થા
રથયાત્રા પસાર થાય ત્યારે કાલુપુર રેલ્વે સ્ટેશનના મુસાફરો હેરાન ના થાય તે માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. દરિયાપુર દરવાજાથી કાલુપુર રેલ્વે સ્ટેશન માટે AMTS બસની વ્યવસ્થા કરવામાં આવી છે અને રથયાત્રા પ્રેમ દરવાજા તેમજ કાલુપુરથી પસાર થતી હોય ત્યારે દરિયાપુર દરવાજાથી કાલુપુર રેલ્વે સ્ટેશનનો માર્ગ બંધ કરવામાં આવે ત્યારે રેલ્વે સ્ટેશન જવાવાળા પ્રવાસીઓની સુવિધા માટે 89/3ની શટલની 8 બસ રહેશે. રથયાત્રા નિમિત્તે BRTS બસના કેટલાક રુટ પર ઈ-રીક્ષા રહેશે. પૂર્વ વિસ્તાર માટે સરકારી લીથો પ્રેસ કાલુપુર સુધી 4 ઈ-રીક્ષા, પ્રેમ દરવાજાથી કાલુપુર સુધી 4 ઈ-રીક્ષા, કાલુપુર રેલ્વે સ્ટેશન પર 4 ઈ-રીક્ષા રહેશે.